शनिवार, 13 फ़रवरी 2010

મારા વ્હાલાં સતપંથીબંધુઓ ને મારી એક નમ્ર અરજ 
 ભાવિક સતપંથીબંધુઓ..
        એક વિચાર ઉદભવે છે સાચા સતપંથી બનવાનો.આપણે સૌ સતપંથ ધર્મનું આચરણ-પાલન કરીએ છીએ.ધર્મ આત્માનું ક૯યાણ કરે છે. આપણો આ ધર્મ વડીલોના આશીર્વાદ જ છે.સતપંથધર્મના પાયાના નીતિનિયમોનું પાલન આપણા વડીલો ચુસ્તપણે કરતા હતા.જયારે આજે ઉણપ જોવા મળે છે.આ માટે આપણે સૌ જવાબદાર છીએ.હજુય મોડું નથી થયું,ફરીથી આપણે જાગીએ.સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળે,આપણું જીવન ઉજ્જવળ બની રહે,આપણા બાળકોને પરીવારને ધર્મ અને ધર્મના નિયમો સમજવાની  જીજ્ઞાસા ઊઠે એવી ભાવના આપણે સૌ સાથે મળીને કરીએ તો? ફરી પાછું આપણું ગામ,સમાજ,કુટુંબ આદર્શ સતપંથી બની રહે.ધર્મનું જ્ઞાન ભલે આપણને પૂરેપુરું  આજસુધી નથી મ૯યું.હવે આપણે જ એ મેળવવા આગળ કદમ મૂકીએ.જાણીએ છીએ ગુરૂ વિના જ્ઞાન નહી.જ્ઞાન વિનાનું જીવન નહી.ઈશ્વર આપણને મનુષ્ય જન્મ આપ્યો છે એ આપણા આત્માના ક૯યાણ અર્થે જ છે.આપણા સતપંથ ધર્મમાં જપ,તપ,ધ્યાન,ભિકત,ઉપાસના આ પાંચ પગિથયા જીવનને સુગંધથી મહેંકતું કરવાની,પ્રભુના આશીર્વાદ મેળવવાના સરળ રસ્તા છે. ભક્તિ  વિના ભગવાન નહિ.ધર્મના નિયમોનું પાલન વિના સાચા ધર્મપ્રેમી નહીં. કલીયુગમાં એવું ચાલે જ.આ શબ્દોથી દૂર રહીએ.આપણું જીવન આપણા ક૯યાણ અર્થે છે.શુધ્ધ શાકાહારી અને નિવ્યસની  ભક્તિ માં ખૂબ જ ઝડપથી આગળ આવી શકે છે.આ માર્ગ કઠીન જરૂર છે પણ અશકય નથી.વર્તમાન સમયને ભૂતકાળના સમય સાથે નિહાળીને જોવા માટે પ્રયત્ન કરીએ તો સાચો રાહ મળશે જ.પૂજા અને તેનું મહત્વ વર્ષોથી કરતા આવ્યા છીએ એટલે એ રાહ છે જ.આપણે ત્યાગવું નથી.થોડી ઉણપો જ દૂર કરવાની જરૂર છે.જૂની અને નવી પુસ્તકો નો અભ્યાસ જરૂરી છે. ૐ માં આપણું હિન્દુત્વ છે.શા માટે એનો ત્યાગ કરીએ?.આપણે સૌ હિંદુ  છીએ.ધીરે ધીરે સમજીને સાચા માર્ગ તરફ આગળ વધીએ.સમજીને,વિચારીને,આજના સમયને ધ્યાનમાં લઇએ.સૌને પ્રેરણા દઇએ.મૂળબંધનો અભ્યાસ કરીએ.સૌને સમજાવીએ.બ્રહ્મા,વિષ્ણુ,મહેશને યાદ કરીએ.નિયમ પ્રમાણે પૂજા કરીએ.સતપંથી સમાજની સાથે જ જોડાઇ રહીએ.એકલા પડવાથી આપણને શો ફાયદો?.ભૂલ ભૂલામણીઓ,મુશ્કેલીઓને સમજીને આગળ વધીએ.કારણ કે આપણો ધર્મ સતપંથ સનાતન ધર્મ સતપંથી સમાજ આપણા સૌનો છે.વડીલોના આત્માને વ્યિથત થવાના કાર્યથી દૂર રહીએ.સૌ સતપંથીઓ સાથેના સાથી બની રહીએ એ આપણી પહેલી ફરજ છે.પૂજાવિધી ની શાંતિ પ્રિય   ભક્તિ પ્રેમ  સાચા સતપંથ ધર્મની સીડી છે.આપણે સહભાગી બનીશું તો આપણા બાળકો જરૂર સહભાગી બનશે જ.વર્તમાન સમયની મુશ્કેલીઓ આપણને ઓછા ખર્ચ કદમ મૂકવા અનુરોધ કરે છે.શ્રધ્ધાળુ સતપંથીઓ આ માટે પ્રયત્ન અવશ્ય કરશે એ જ. પ્રાર્થના.પીરાણાપંથ નિ  કે સતપંથસનાતન ધર્મ  હિંદુઓનો છે.આજ દિન સુધી એ માર્ગે જ છીએ.પણ કયાંક ભૂલો છે.એ સમજવા પ્રયત્ન કરીએ.આપણે આગળ આવીશું તો આપણો પરીવાર સહભાગી બનશે જ.કોઇની વાતો સાંભળી આવીએ એના કરતાં આપણે જાતે જ આપણા સતપંથ ધર્મનાં સાહિત્ય અને મૂળબંધનો અભ્યાસ કરીએ.અભ્યાસ વિના સાચા માર્ગ પર કદમ જવાના નથી.ધર્મનુ પાલન,નિયમોનું પાલન )આચરણ(,અ૯પ ખર્ચ,પૂજાવિધિ માં હાજરી,ગુરૂ સ્મરણ,તેત્રીસ કરોડ દેવતાઓના ચરણામૃતનું આચમન,શુધ્ધ ભાવના,તનમનની સ્વછતા આ બધા જ પાસાઓ તરફ જાગૃત રહીએ.ધીરે ધીરે ધર્મના જ્ઞાનનો જીવન જીવવા અને માણવામાં સાથ લઇએ.સૌનું સારું તો આપણું સારું એવી ધર્મ ભાવના જીવનમાં કેળવીએ.આ માત્ર શબ્દનો શણગાર નથી પરંતુ આપણા સૌના જીવનને સાચા સતપંથી બનાવવા માટેનો અ૯પસૂર છે.સતપંથ ધર્મના દીપની જયોતમાં જીવનનાં અંધારાને નિહાળીને સાચુ ખોટું સમજવા આગળ આવીએ.જયોત સે જયોત જલે જેમ એક એક કરતાં વિશાળ સમુદાય થઇએ.સાચા સતપંથી સમાજમાં ભળવા માટે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીશું તો સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળશે જ. રકતકણની શુધ્ધતા હશે તો સદવિચારો આપોઆપ ઊઠશે.માસાહારથી દૂર જ છીએ અને આપડા બાળકો મા એનો  વિચાર પણ ન આવવા દઇએ.આ આપણા જીવનના ક૯યાણ અર્થે આટલું ન કરીશું તો જીવનનો અર્થ શો? શતપંથ ધર્મના અનુયાયીનો અર્થ શો? વિચારો,જરૂર રાહ મળશે જ હજુય કંઇ મોડું નથી થયું.જીવનની જયોત સળગશે જ અંતર આત્માની સાચી ઓળખ અને દર્શન આપણા વૈદિક સતપંથ સનાતન ધર્મથી જ થશે.આમ તો આપણા આ ધર્મને કોઇ પ્રચાર કે મોટા જનસમુદાયની જરૂર નથી.આજના વર્તમાનયુગમાં ધર્મના નામે અનેક પંથો સંસ્થાઓનો જાણે રાફડો ફાટી નીક૯યો છે.પણ આપણો ધર્મ  તો ધણો પ્રાચીન અને વૈદિકકાળથી ચાલતો આવ્યો છે.અનેક ભ્રમણામાં કે વાદિવવાદમાં ન પડતા એનો સાચા માર્ગે અભ્યાસ જરૂરી છે.ઇમામશાહ મહારાજે કહયું છે કે ચેતીને ચાલજે મારા બંધુ કારણ કે આ કલયુગનો સમય છે અનેક ફાંદ રચાશે એમાં ફસાયા તો નીક૯વાનો કોઇ માર્ગ ન મળે એટલે જ તો ધર્મને સતપંથ કહયો છે.આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવા સતપંથી પરીવારમાં જન્મ લીધો છે. તો શા માટે આપણે ધર્મથી અળગા રહીએ.આપણે દરેક ધર્મનો આદર કરવાનો છે. અને આપણા ધર્મનું પાલન કરવાનું છે એમાં કયાંક ચૂક ના રહીજાય મારા સતપંથીબંધુઓ.એજ અભ્યર્થના સાથે મારા જય ગુરૂદેવ.

                                                                                                         એક સતપંથીબંધુ


હે પરમકૃપાળુ પરમેશ્વર
સ્મરણ તારૂં કરતાં કરતાં સવારની શરૂઆત કરાવી દેજે,તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં પ્રભાતનું સોનેરી કિરણ દેજે.ડગ મારા મંદિર તરફ વળે એવો ઇશારો મને તું કરી દેજે.મુજ નયનમાં સુખ શાંતિ  નું એક જ મંદિર તું ખડુ કરી દેજે.રીઝવી ના શકું ભલે જગને મીઠી વાણીની મીલકત મને દેજે નથી જોઇતું મારે અણ હક્કનું વિધિએ લખ્યું એટલું જ મને દેજે.ભટકતું મન સ્થિર થાય તારામાં તારા દરવાજે લાવી ખડું કરી દેજે.અંત સમયે તારામાં જ રહું સગપણ તું મને દેજે.કરે જગત યાદ એવું જીવન મને દેજે.

0 टिप्पणियाँ:

एक टिप्पणी भेजें